૦૧. અખંડ અન્નક્ષેત્ર
પ.પુ. ગુરૂદેય શ્રી ધ્યાનશંકર મુક્તિ નારાયણના આદેશથી કાયમી અન્નક્ષેત્ર સને ૧૯૮૧ થી ચાલુ છે. કોઈપણ જ્ઞાતિના ભેદભાવ વગર. સાધુ, સંતો, અપંગ, નિરાધાર, ગરીબ જે કોઈ આવે તેને ભોજન પિરસવામાં આવે છે.
૦૨. ગૌ-શાળા
આશ્રમ તરફથી ગૌશાળા ચલાવવામાં આવે છે. ગાયો. વાછડી, વાછડા થઈને સંખ્યા લગભગ 290 છે અને દુધ, ઘી, છાશ વગેરે આશ્રમ અને મંદિરોના અખંડ જયોતના ઉપયોગમાં લેવામાં આવે છે.
૦૩. આશ્રમમાં ઉજવાતા મુખ્ય ઉત્સવો
(અ) મહાશિવરાત્રી: મહાવદ તેરસ. (બ) પુજય ગુરુદેવની નિર્વાણતિથિા વૈશાખ સુદ ૧૧. (ક) ગુરૂ પુર્ણીમા : અષાઢ સુદ પૂનમ. આ ત્રણે ઉત્સવોમાં બહારગામથી ગુરૂસેવક ભાઈ-બહેનો થાનગઢના પ્રજાજનો સારી રીતે ઉત્સાહ બતાવી ને ભાગ લે છે. આ પ્રસંગે શોભાયાત્રા, પુજય ગુરુદેવનું પુજન, મહાપ્રસાદ તથા આગલી રાત્રે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ ગોઠવાય છે.
૦૪. તરણેતર મેળા સેવા
ભાદરવા સુદ, ૪-૫-૬ ને દિવસે વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો ભરાય છે. આ દિવસો દરમ્યાન મિષ્ટાન ભોજન સાથે અન્નક્ષેત્ર ચા વગેરે પિરસવાનું ચાલુજ રાખવામાં આવે છે. અને આશ્રમની સગવડ પ્રમાણે રહેવાની, રાત્રી રોકાણની સગવડતા આપવામાં આવે છે.
૦૫. શ્રાવણ-અધિક માસ
શ્રાવણ તથા અધિક માસ દરમ્યાન દરરોજ ફુલાભીસેક, મહાપુજા તથા ચોખ્ખા ઘીના લાડુનો પ્રસાદ આપવામાં આવે દરરોજ શિવપુરાણ વચન નું આયોજન કરવામાં આવે છે.
૦૬. માસિક પૂનમ
આશ્રમમાં દર મહિનાની પુનમના દિવસે સાંજે ધ્વજઆરોહણ, મહાઆરતી, મહાપ્રસાદનું ઓયોજન હોય છે તો સર્વે ગુરૂસેવક ભાઈ-બહેનોને પધારવા નિમંત્રણ હોય છે.
૦૭. સામાજિક-તબીબ સેવા
દર વર્ષે વિદ્યાર્થીઓ ને રાહત ભાવે નોટબુક નુ વિતરણ તથા રક્તદાન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ જેવા મેડિકલ કેમ્પ નુ આયોજન થતુ હોઈ છે.
૦૮. પદ-યાત્રી સેવા કૅમ્પ
૨૦૧૩ થી ૨૦૨૬ છેલ્લા ચૌદ વર્ષથી કુલડોર ઉત્સવમાં જતા પદયાત્રી સેવા કેમ્પમાં ર૪ કલાક પદયાત્રીની સેવા આયોજન સમિતિ તથા ગુરુભાઈ ગુરુબહેનો ની તન મન ધન થી વિશેષ સેવા કરવામાં આવે છે.
૦૯. સમાજ ઉપયોગી પ્રવૃતિ
કોઈપણ ધાર્મિક, સાંસ્કૃતિક અને સમાજ ઉપયોગી પ્રવૃતિ માટે આશ્રમ અને આશ્રમના સાધનોનો ઉપયોગ કરવા દેવામાં આવે છે. કુદરતી અને આકસ્મીક આફતો વખતે ગામના સહકારથી, બધી સહાય આશ્રમ તરફથી ગોઠવવામાં આવે છે.